‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે જિલ્લામાં વિવિધ ગામડાઓમાં નદી-તળાવે તેમજ તળાવોને સ્વચ્છ બનવવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્ય જ્યારે સ્વચ્છતા એજ સેવા અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના નદી તળાવ તેમજ દરિયા કિનારા સ્વચ્છ અને રળિયામણા બને ત્યાંનો વિસ્તાર સુંદર બને તેમજ પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બને તેવા હેતુથી નદી-તળાવ વગેરેની આસપાસ તેમજ કાંઠાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે હાલ મોરબી જિલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ સહિતના ગામડાઓમાં નદી તેમજ તળાવના કાંઠાના વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરી આ વિસ્તારને રળિયામણા બનાવવામાં આવ્યા છે. ગંદકી દુર કરી આ વિસ્તારોની સાથે પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બનાવવામાં આવ્યા છે.
જનભાગીદારીથી આ મહા અભિયાન સફળ બની રહ્યું છે ત્યારે આ ગ્રામીણ વિસ્તારોમાં નદી તળાવ કાંઠાની સાફ-સફાઈની પ્રવૃત્તિમાં ગામ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...