ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં દર વર્ષે ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા.
ભારત સરકારના ગૃહ મંત્રાલય વિભાગના સંકલન અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાના આશય સાથે ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસ અન્વયે આજે ૩૦ ઓક્ટોબરે કલેકટર કચેરી ખાતે મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યા સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સલામતી માટેના શપથ લીધા હતા.
આગામી રથયાત્રા તેમજ ગ્રામ પંચાયતની ચુટણી અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન મોરબી શનાળા ગામ પાસે આવેલ મેડીકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨, ૮૦૦ /-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૯,૩૨,૮૦૦ /- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી...
મોરબીના નિવૃત શિક્ષિકાની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લેતા મુખ્યમંત્રી
મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી.જે.પી કન્યા વિદ્યાલયમાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત થયેલા નીતાબેન પટેલ એક પગે દિવ્યાંગ હોવા છતાં નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિસિલ રહી શાળામાં નિયમિત રીતે લાઈબ્રેરેરિયન તરીકે નિઃશુલ્ક સેવા આપે છે અને એમને પ્રાપ્ત થતી પેન્શનની...