મોરબી સબ જેલ મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટ ની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગ થી નવ ચેતના યોગ શિબિર અંતર્ગત મોરબી સબ જેલ માં તા. ૦૨/૧૦/૨૩(ગાંધી જયંતિ) થી ૩૧/૧૦/૨૩ (સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સબ જેલના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ અને બેહનોને યોગ તાલીમ તેમજ યોગ દ્વારા જીવનમાં કાયદા ની સમજ યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ રૂપલબેન શાહ, અંજનાબેન કાસુંદ્રા, પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર વાલજીભાઈ ડાભીએ સહયોગ આપેલ છે.
એક માસ ના યોગ તાલીમ પ્રોગ્રામ ને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર રહેલ હતો. અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ, બહેનો એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....