મોરબી સબ જેલ મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટ ની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગ થી નવ ચેતના યોગ શિબિર અંતર્ગત મોરબી સબ જેલ માં તા. ૦૨/૧૦/૨૩(ગાંધી જયંતિ) થી ૩૧/૧૦/૨૩ (સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સબ જેલના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ અને બેહનોને યોગ તાલીમ તેમજ યોગ દ્વારા જીવનમાં કાયદા ની સમજ યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ રૂપલબેન શાહ, અંજનાબેન કાસુંદ્રા, પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર વાલજીભાઈ ડાભીએ સહયોગ આપેલ છે.
એક માસ ના યોગ તાલીમ પ્રોગ્રામ ને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર રહેલ હતો. અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ, બહેનો એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.
મોરબી જીલ્લાના પુરવઠાના ગોડાઉનોમા ઘઉં તથા ચોખાનો જથ્થો તથા મજુરોની વ્યવસ્થા પુરી કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના નાયબ જીલ્લા મેનેજર તથા મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશીયાના કોટન વર્કસને જાણ કરતા આશીયાના કોટન વર્કસના પ્રતિનીધીને સારૂ ન લાગતા આરોપીએ નાગરિક પુરવઠા નિગમ લિ.ના મેનેજરને ફોન પર ગાળો...
વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલ મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો આરોપીએ સળગાવી દઈ ખેત પેદાશોનુ અંદાજીત ૬૫ થી ૭૦ હજારનું નુકસાન કરી નાસી જનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા ખેતી કરતા એઝાજએહમદ ઇસ્માઇલભાઇ...