બિલિયા શાળામાં સરકાર દ્વારા લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ જેવી સ્પર્ધાત્મક એક્ઝામ અંગે વાલીઓને જાગૃત કરાયા
મોરબી,પ્રવર્તમાન સમય એટલે શિક્ષણનો યુગ એમાંય શિક્ષણક્ષેત્રે પ્રથમીકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી અનેકવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું આયોજન થતું હોય છે,આ પરીક્ષાઓથી વિદ્યાર્થીઓ માટે સફળતાની અનેક તકો પ્રાપ્ત થતી હોય છે,પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના,જ્ઞાનશક્તિ,જ્ઞાનસેતુ જવાહર નવોદય વિદ્યાલય, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, NMMS નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા,ચિત્રકામ પરીક્ષા,જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ ખાસ કરીને જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સ 15 જેટલી શાળાઓ છે,ધો.1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે ભણવા, રહેવા,જમવાનો ખર્ચ સરકાર ચૂકવશે, ત્રણ જેટલી રક્ષાશક્તિ સ્કૂલોમાં પણ આ બાળકોને પ્રવેશ અપાશે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ જો લિસ્ટ મુજબની ખાનગી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરશે તો રૂપિયા વિસ હજાર અને સરકારી શાળામાં જ પ્રવેશ મેળવશે તો વિદ્યાર્થીઓને 5000 પાંચ હજાર અને શાળાને 2000 બે હજાર રૂપિયા ફાળવવામાં આવશે.વગેરે બાબતોની સમજ કિરણભાઈ કાચરોલા શાળાના આચાર્ય અને મોરબી જિલ્લા મહાસંઘના મંત્રીએ ઉપસ્થિત વાલીઓને આપી હતી. વાલીઓએ પણ મુંઝવતા પ્રશ્નો પૂછીને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...