મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ખાનપર ગામે જાહેર રસ્તા પર શૌચાલય, સિમેન્ટનો ઢાળીયો અને એક રૂમ જેટલું બાંધકામ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એમ છાસીયા, વિસ્તરણ અધિકારી સી એમ ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઈ નકુમની ટીમે આજે પોલીસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે આસામીઓ દ્વારા કરવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરી હતી પોપટભાઈ ભલાભાઈ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઈ બચુભાઈ જાકાસણીયા દ્વારા સિમેન્ટનો ઢાળીયો અને દિનેશભાઈ મગનભાઈ જાકાસણીયા દ્વારા પશુ દવાખાના વાળી શેરીમાં એક રૂમ જેટલું બાંધકામ કરી દબાણ કર્યા હોય જેથી અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ આખરી નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણો દુર કર્યા ના હોય જેથી ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાની સુચના અનુસાર દબાણો હટાવવામાં આવ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...