વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું ઉભું કરી વાહન ચાલકો પાસેથી ખાનગી ટોલ ઉઘરાણીનો પર્દાફાશ થયો છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીન વાઈટ હાઉસ નામના બંધ કારખાનામાં રસ્તો કાઢી ખુલ્લેઆમ છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા આ ખાનગી ટોલનાકા બાબતે ત્રણથી ચાર વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર કોઈપણ આધિકારીઓ દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં બાબતના મિડિયા અહેવાલથી સફાળા જાગેલા કહેવાતા આધિકારિઓ ટોલનાકે દોડી ગયા હતા અને દેખાવની કામગીરી કરતા આ ખાનગી ટોલનાકાને બંધ કરાવ્યું હતું, પરંતુ આ અમલવારી ક્યાં સુધી ચાલશે તે પ્રશ્નાર્થ છે. આ સાથે બાબતે મિડિયા દ્વારા જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા તમામ અધિકારીઓએ પોતાને વાતની ખબર ન હોવાનો રાગ આલાપ્યો હતો, જે વાત સામાન્ય નાગરિકોને પણ ગળે ઉતરે તેમ નથી.
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...
મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલ દુકાવાળા જીગાભાઈ સાથે...