વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું ઉભું કરી વાહન ચાલકો પાસેથી ખાનગી ટોલ ઉઘરાણીનો પર્દાફાશ થયો છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીન વાઈટ હાઉસ નામના બંધ કારખાનામાં રસ્તો કાઢી ખુલ્લેઆમ છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા આ ખાનગી ટોલનાકા બાબતે ત્રણથી ચાર વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર કોઈપણ આધિકારીઓ દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં બાબતના મિડિયા અહેવાલથી સફાળા જાગેલા કહેવાતા આધિકારિઓ ટોલનાકે દોડી ગયા હતા અને દેખાવની કામગીરી કરતા આ ખાનગી ટોલનાકાને બંધ કરાવ્યું હતું, પરંતુ આ અમલવારી ક્યાં સુધી ચાલશે તે પ્રશ્નાર્થ છે. આ સાથે બાબતે મિડિયા દ્વારા જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા તમામ અધિકારીઓએ પોતાને વાતની ખબર ન હોવાનો રાગ આલાપ્યો હતો, જે વાત સામાન્ય નાગરિકોને પણ ગળે ઉતરે તેમ નથી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...