શ્રી સજનપર પ્રા. શાળામાં ધો. 3 થી 5 ના બાળકો માટે બાલવાટીકા તેમજ ધો.1 અને 2ના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું
જેમાં શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે બહારની દુનિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાઈ શકે એવા ઉમદા હેતુથી PM SHRI શાળા અંતર્ગત ધો. 3 થી 5 ના બાળકોને ફિલ્ડ વિઝીટ અંતર્ગત રતનપર શ્રી રામ મંદિર, રામવાન રાજકોટ, સાયન્સ સિટી રાજકોટ તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી તેમજ બાલવાટીકા અને ધો.1 અને 2 ના બાળકો માટે કામધેનુ ગાર્ડન, ત્રિમંદીર, રોકડિયા હનુમાન અને ખોખરા હનુમાન જેવા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ ખૂબ જ મજા કરી હતી સાથે સાથે તેઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી મેળવી હતી.
સમગ્ર પ્રવાસમાં સુચારુ વ્યવસ્થા જાળવવા શાળાના શિક્ષકો અદ્રોજા, કેતનભાઈ, કાસુન્દ્રા ચંદુલાલ, ભીમણી મધુબેન, આરદેશણા રેખાબેન, ખૂંટ પૂનમબેન અને વિરમગામાં મીનાબેનને આચાર્ય અલપેશભાઈ પુજારા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...