વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રભુ શ્રી રામ ની જન્મભૂમિ અયોધ્યા મુકામે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ કારસેવા કરનાર મોરબી કારસેવકોના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૯૭ કારસેવકોનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ભવ્યતિભવ્ય બહુમાન કરવામાં આવ્યુ હતુ, તે ઉપરાંત મોરબી-માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કારસેવકોને શ્રી રામ મંદિર-અયોધ્યાની પ્રતિકૃતિ વાળી ઘડીયાળ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી રામધન આશ્રમના મહંત પ.પૂ. ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ બારેજીયા, સી.ડી.રામાવત, નવીનભાઈ માણેક, અનોપસિંહ જાડેજા, પ્રદીપભાઈ વાળા, હસુભાઈ પુજારા, ગોપાલભાઈ સરડવા, જે.પી.જેસ્વાણી, ડો. વનરાજસિંહ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ, ઘનશ્યામભાઈ પુજારા, હરીશભાઈ રાજા,જયેશભાઈ ટોળીયા, જયેશભાઈ કંસારા, કે.ડી. પડસુંબિયા, મુકેશભાઈ ગામી, નૈમિષભાઈ પંડિત, તેજશભાઈ બારા, કમલેશભાઈ બોરીચા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...