મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ૧૭ માર્ચના રોજ કરેલ છે.
સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા માનવ સેવા એજ પ્રભુ સેવા’એ સૂત્રને સાકાર કરી દેશ બાંધવોની નિઃસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આપણા સૌને આ સેવાયજ્ઞ હર હંમેશ પ્રજવલીત રહે તેવા શુભ આશયથી મોરબીનગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ડો હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા તા. ૧૭-૦૩-૨૦૨૪ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબી રાજકોટ હાઇવે પર મારૂતી શો – રૂમની બાજુમાં શક્ત શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શીશુમંદિર (નવા) મોરબી ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન નરેન્દ્ર દવે (સૌ.પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ તથા ડો હેડગેવાર સ્મારક ટ્રસ્ટી) આપશે તેમજ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં કાંતિલાલ મેરજા ડો. અર્જુનભાઈ સુવાગીયા , બાબુલાલ અંબાણી તથા જીલેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહેશે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...