મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ૧૭ માર્ચના રોજ કરેલ છે.
સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા માનવ સેવા એજ પ્રભુ સેવા’એ સૂત્રને સાકાર કરી દેશ બાંધવોની નિઃસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આપણા સૌને આ સેવાયજ્ઞ હર હંમેશ પ્રજવલીત રહે તેવા શુભ આશયથી મોરબીનગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ડો હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા તા. ૧૭-૦૩-૨૦૨૪ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબી રાજકોટ હાઇવે પર મારૂતી શો – રૂમની બાજુમાં શક્ત શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શીશુમંદિર (નવા) મોરબી ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન નરેન્દ્ર દવે (સૌ.પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ તથા ડો હેડગેવાર સ્મારક ટ્રસ્ટી) આપશે તેમજ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં કાંતિલાલ મેરજા ડો. અર્જુનભાઈ સુવાગીયા , બાબુલાલ અંબાણી તથા જીલેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહેશે.
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...
હળવદ તાલુકાના ચરાડવા ગામે થયેલ હત્યાના બનાવવમાં આરોપીને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી ચરાડવા સરકારી દવાખાને રાખેલ હોય જે મૃત્યુ શંકાસ્પદ થયેલ હોવાનું જણાતા હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા " મનોજભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ. ૨૫) ને...
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો હતો.
મોરબી જિલ્લામાં હળવદના ચરાડવા ખાતેની શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદા નિષ્ણાંત રંજનબેન મકવાણા દ્વારા માહિતી તથા...