માળીયા (મી): થોડા દિવસ પહેલા સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની વક્તાએ પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરેલ જેના વિરુદ્ધમાં મોરબી પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા ફરીયાદ નોંધાવી હતી ત્યારે આજે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધુ એક ફરીયાદ માળિયા (મી) તાલુકાના પાટીદાર સમાજના આગેવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે.




