“બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હ્રદય હૃદયનાં વંદન તેહને!”આ ઉક્તિ જીવતીબેન પીપલિયાએ સાર્થક કરી બતાવી છે.વિદ્યાર્થીઓના Guide,Friend and Philosopher તરીકેની જેમની ભૂમિકા પ્રસંશનીય છે. એવાં જીવતીબેનનું હ્રદય પ્રેમથી છલોછલ ભરેલું છે. ઋજુ હૃદયનાં જીવતીબેન ઉત્તમ શિક્ષક તો છે જ, સાથે મનના ભાવોને કલમ દ્વારા આકાર આપી સુંદર સાહિત્ય સર્જન કરતાં રહે છે. એક તો શિક્ષકને પાછા સાહિત્યકાર, પછી તો બાળસાહિત્ય લખાયા વગર રહે ?
આફતને અવસરમાં બદલી શકવા સક્ષમ જીવતીબેને કોરોના લોકડાઉનનો સદુપયોગ કરી સાહિત્યક્ષેત્રે પગરણ માંડ્યા. ‘પરીબાઈની પાંખે’ બાળગીત સંગ્રહ, ‘હાથીદાદાની જય હો!’ ‘નટખટ’ શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર, ‘દેશથી પરદેશ સુધી’, ચાર પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમનું આગામી પુસ્તક ‘આવો કહું એક વાર્તા’ પ્રકાશનમાં છે.
કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ દ્વારા મહિલા લેખિકાઓને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે પ્રથમ પુસ્તક મંગાવવામાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ૨૦૦ જેટલા મહિલા લેખિકાઓએ પોતાના પ્રથમ પુસ્તક આપેલ, જેમાંથી ૧૧ લેખિકાઓના પુસ્તકને પસંદ કરી, સન્માનિત કરવાનો ઉપક્રમ રાખેલ. જેમાં ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પ્રથમ પુસ્તક ‘પરીબાઈની પાંખે’ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું. ભવન્સ કૉલેજ અમદાવાદમાં કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે થયેલ સન્માન બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા તેમજ એસ. એમ.સી.પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...