“બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હ્રદય હૃદયનાં વંદન તેહને!”આ ઉક્તિ જીવતીબેન પીપલિયાએ સાર્થક કરી બતાવી છે.વિદ્યાર્થીઓના Guide,Friend and Philosopher તરીકેની જેમની ભૂમિકા પ્રસંશનીય છે. એવાં જીવતીબેનનું હ્રદય પ્રેમથી છલોછલ ભરેલું છે. ઋજુ હૃદયનાં જીવતીબેન ઉત્તમ શિક્ષક તો છે જ, સાથે મનના ભાવોને કલમ દ્વારા આકાર આપી સુંદર સાહિત્ય સર્જન કરતાં રહે છે. એક તો શિક્ષકને પાછા સાહિત્યકાર, પછી તો બાળસાહિત્ય લખાયા વગર રહે ?
આફતને અવસરમાં બદલી શકવા સક્ષમ જીવતીબેને કોરોના લોકડાઉનનો સદુપયોગ કરી સાહિત્યક્ષેત્રે પગરણ માંડ્યા. ‘પરીબાઈની પાંખે’ બાળગીત સંગ્રહ, ‘હાથીદાદાની જય હો!’ ‘નટખટ’ શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર, ‘દેશથી પરદેશ સુધી’, ચાર પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમનું આગામી પુસ્તક ‘આવો કહું એક વાર્તા’ પ્રકાશનમાં છે.
કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ દ્વારા મહિલા લેખિકાઓને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે પ્રથમ પુસ્તક મંગાવવામાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ૨૦૦ જેટલા મહિલા લેખિકાઓએ પોતાના પ્રથમ પુસ્તક આપેલ, જેમાંથી ૧૧ લેખિકાઓના પુસ્તકને પસંદ કરી, સન્માનિત કરવાનો ઉપક્રમ રાખેલ. જેમાં ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પ્રથમ પુસ્તક ‘પરીબાઈની પાંખે’ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું. ભવન્સ કૉલેજ અમદાવાદમાં કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે થયેલ સન્માન બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા તેમજ એસ. એમ.સી.પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
10 ફેબ્રુઆરીએ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-૨ ખાતે યોજાશે સમૂહલગ્નોત્સવ: રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓએ આપશે હાજરી
મોરબી: સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા આગામી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ ભવ્ય ૩૯મો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગે જ્ઞાતિના...
મોરબીના નગરજનો માટે રાણીબાગમાં આકર્ષક પ્રવેશ દ્વાર, પાર્કિંગ, કેફે, મનોરંજન, એડમીન બ્લોક, ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ પેસેજ સહિતની આધુનિક સુવિધા યુક્ત ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી આધુનિક સુવિધાઓ સાથે રાણીબાગના સર્વાંગી વિકાસ માટેનું ટેન્ડર હાલ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા મોરબી...
મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં એક સગીરાને મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ જતા સગીરાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઇ પરીહારની ૧૭ વર્ષીય દિકરી પુજાબેન નામની...