સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ સમાજને હાર્દિક મંગલ કામનાઓ સહ અભિનંદન.
સમગ્ર વિશ્વમાં અનેરાં હર્ષોલ્લાસથી ઉજવાતી ભીમ જયંતિ નાં ઉપલક્ષમાં ટંકારા તાલુકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક ભીમ જયંતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે…
ટંકારા તાલુકા અનુસુચિત સમાજ દ્વારા તા. 14 એપ્રિલ 2024 રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યાં સુધી ભવ્ય શોભાયાત્રા મહારેલીનું આયોજન કરેલ છે.
ડૉ. આંબેડકર ભવન ખાતેથી સવારે 9 વાગ્યે જય ભીમ નાં નારાં અને ડીજેનાં તાલેથી મહારેલી રથ નું પ્રસ્થાન કરવામાં આવશે.
ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ થઈ લતિપુર ચોકડી, દયાનંદ ચોક,ઉગમણાં નાકા તેમજ ખીજડીયા ચોકડી પરનાં DJ કાર્યક્રમો બાદ બપોરે 12 વાગ્યે ડૉ. આંબેડકર ભવન પર મહારેલી મહાસભા માં પરિવર્તિત થશે. ત્યાર બાદ મૈત્રીભોજન લીધાં પછી મહારેલી ની પુર્ણાહુતી થશે.
જેમણે સમસ્ત ભારતીયો માટે સમગ્ર જીવન અને પરિવાર ન્યોછાવર કર્યું, પછાતો અને નારીઓને માનવ તરીકે નાં તમામ હક્ક અધિકારો અપાવ્યાં એવાં મહામાનવ બાબાસાહેબ ડૉ. આંબેડકરજીનાં જન્મ દિવસ મહોત્સવની તન, મન અને ધનથી ઉજવણી કરવાં બહોળી સંખ્યામાં પધારવાં સર્વ સમાજને અપીલ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં આજે અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગી હતી જેમાં આગનો પ્રથમ બનાવ ટંકારા તાલુકાના લજાઈ ગામે બીજ કોર્પોરેશન કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
જ્યારે બીજો આગનો બનાવમાં મોરબીના લાલપર વન...
મોરબી મહાનગરપાલિકાની દ્વારા MMC@1 અન્વયે સનાળા રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા યુવા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
MMC@1 મોરબી મહાનગરપાલિકા બન્યું તેનું ઉજવણી સપ્તાહ અંતિમ ચરણમાં છે જેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા...