મોરબીના લોકો બાલ દેવો ભવ:ની ભાવના ધરાવે છે,અને શાળામાં ભણતાં બાળકો માટે મોરબી પંથકના લોકો કઈંકને કંઈક અવનવું દાન કરતા રહે છે,હાલ ગરમીનો પારો અસહ્ય રીતે તપી રહ્યો છે,લોકો હાલ ગરમીથી આકુળ વ્યાકુળ છે ત્યારે ગરમીમેં ભી ઠંડી કા અહેસાસ કરાવતી દાનવૃત્તિ નજરમાં આવેલ છે.
વાત જાણે એમ છે કે મોરબી તાલુકાના માણેકવાડા ગામના પ્રભાબેન તથા મહાદેભાઈ ચનિયારા દંપતી દ્વારા શાળામાં અભ્યાસ કરતાં 250 જેટલા બાળકોને મોંઘા મુલની આઇસક્રીમ ખવડાવી હતી,જેથી આવી અસહ્ય ગરમીમાં બાળકોને મનગમતી,મન ભાવતી આઈસ્ક્રીમ આરોગવા મળી એટલે બાળકોને મોજ આવી ગઈ અને ખુશખુશાલ થઈ ગયા આ તકે વિપુલભાઈ અઘારા આચાર્ય તેમજ શાળા પરિવારે બંને દાતા દંપતીનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરેલ છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...