ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર) ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાશે
ટંકારા: ટંકારા તાલુકાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ નારીચાણિયા હનુમાનજી મહારાજ મની જગ્યામાં દર સાલ મુજબ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ તારીખ ૨૩/૦૪/ ૨૦૨૪, ને મંગળવારના રોજ ધામધુમ પુર્વક ઉજવાશે.
આ તકે યજ્ઞ (હવન) બટુક ભોજન બ્રહ્મ ચોરાશી સમુહ પ્રસાદને મહા આરતી વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદ નોલાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તેમજ પ્રસાદની વ્યવસ્થા હનુમાનજીના સેવકોની કમીટી તરફથી છે વ્યક્તિ ગત નથી કોઈ પ્રસાદ લેવા સંકોચ ન રાખવો તેમ પણ અંતમાં આ ભગીરથ કાર્ય માટે કોઈ એ સભ્ય માટે નામ લખાવવુ હોય તો આવકાર્ય છે ભરતદાસજી કુબાવતની યાદીમાં જણાવ્યું છે.