શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન
ગોકુળ ના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ. રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે સપ્તાહમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવા માં આવ્યા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીત ના અગ્રણીઓનું શાલ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સપ્તાહ ના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતના દ્વારા સન્માન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠાના કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી તાત્કાલિક જાહેર કરવા બાબતે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજકોટિયા દ્વારા સાંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં હતું કે, ટંકારા તાલુકામાં...
મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં મકનસર પાંજરાપોળ અંદર લાગેલ ટાવર તથા અલગ અલગ જગ્યાએ લાગેલ ઇન્ડુઝ કંપનીના ટાવરોમાથી ૫૭ હજારના બેટરી સેલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી...
હળવદ તાલુકાના માથક ગામે પરણિતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ મોતને વ્હાલું કર્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેર (ઉ.વ.૪૧) એ આરોપી અરજણભાઇ દેવુભા...