મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા
માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામોનો સમાવેશ થાય છે તથા મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પરથી તેમજ નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી સંદેશ આપવામા આવી છે
મોરબીના સામાકાંઠે આવેલ વિધ્યુતનગર કાલીકા માતાજીના મંદિર પાછળ મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૨૮૪૮ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી...
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ હડમતીયા રોડ ઉપર શીવ કોમ્પ્લેક્ષમા આવેલ દુકાન નં -૦૩ થી ૦૬ ભાડે આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવનાર દુકાન માલિક સામે ટંકારા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ મોરબી જીલ્લા...