મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતરમાં થઈ હોય, તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો. સ્વાતિબેન રાંકજાના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો. સાવનભાઈ અઘારા, ડો. સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીનની શુભકામના પાઠવી હતી.
જ્યારે સમાજની દીકરીઓ ખીલે છે, ત્યારે જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. શિક્ષણ એ માત્ર એક પુસ્તક નથી, પણ એમાં ભવિષ્યની સઘળી આશાઓનો ઉજાસ છુપાયેલો છે. જોકે, આ આશાનો ઉજાસ ત્યારે જ સંપૂર્ણપણે પ્રજ્વલિત થાય, જ્યારે તેની સાથે આરોગ્ય અને સ્વચ્છતાનું સમર્પણ પણ જોડાયેલું હોય. ખાસ કરીને માસિક ધર્મના...
આખા ગુજરાતમાં ગરબા સંચાલકો માટે નિયમો અધરા બન્યા: પણ મોટા ભાગના ગરબા સંચાલકો રાજકીય ઓથ વાળા હોઈ જેથી અધિકારીઓને દબાવવા પ્રયાસ થતા હોઈ છે.
મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં મોરબી શહેરમાં...
મોરબી જિલ્લાના ૧૮ કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ – ૩ ( જાહેરાત ક્ર્માંક:૩૦૧/૨૨૫-૨૬) ની પરીક્ષા આગામી તા. ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને...