મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક સમાન છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા આ મંદિરને રીનોવેશન કર્યા બાદ કયા આધાર ઉપર અહીં મંદિર બાંધવામાં આવેલ છે તેના સ્થાનિક લોકો પાસે પુરાવા માંગતી એક નોટિસ આપવામાં આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તજનોની લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળી રહી છે.
મોરબી જીલ્લો જાહેર થયો ત્યારથી આજદિન સુધી હજુ પણ ઘણી બધી જગ્યાઓએ ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણોના ખડકલા જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા એ તમામ વગદારો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ પર હજી સુધી પગલા કેમ નથી લેતી અને આવા લોકોની આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થાનોને જ કેમ ટાર્ગેટ બનાવી રહી છે તેઓ અણીયારો સવાલ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યો છે આ મંદિર વર્ષો પુરાણું છે અને અહીંના જે સ્થાનિક વેપારીઓ છે તેમણે એક સામાન્ય મંદિરમાંથી રીનોવેશન કરી અને આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક હનુમાનજીનું ત્યાં સ્થાપન કર્યું છે ત્યારે મોરબી નગરપાલિકા લોકોની લાગણી સાથે દૂર વ્યવહાર કરી રહી હોય તેઓ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આપી આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૩૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની...
રાજ્યભરમાં સાયબર ક્રાઇમ કરી અને મેળવેલ નાણાં મ્યુલ એકાઉન્ટનમા જમા કરી સગેવગે કરનાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં છેતરપિંડી નાણાં સગેવગે કરનાર આવા વધું ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી...
હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતો યુવક પોતાના ઘરે જમવા જતો હોય ત્યારે ત્રણ ત્રણ શખ્સો ફરીયાદીના ઘર પાસે આવી યુવકના કૌટુંબિક ભાઈ સાથે આરોપીઓને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો તેમજ સાથી સરોજબેન વચ્ચે પડતા તેમને પણ માર...