મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલના કેદીઓએ પણ જેલમાં ઈદ નિમિતે નમાઝ પડી અને ઈદની ઉજવણી કરી હતી.
મોરબી સબ જેલમાં મુસ્લિમ બિરાદરોને મૌલાના ઇશાકભાઈ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી અને મુસ્લિમ બંદીવાનો જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બને, સમાજમાં જઈને ફરી ગુનાને અંજામ નો આપે તેવું મૌલાના ઇશાકભાઈ દ્વારા ધાર્મિક પ્રવર્ચન આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી એમ ગોહેલ, તથા જેલર એ.આર. હાલપરાનાઓ અને જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...