મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેવી કે ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને અનાજ કીટ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની શાળા કોલેજ કે હોસ્ટેલ ફી ભરવામાં આવે છે દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલ ચેર પણ આપવામાં આવે છે.
જેમાં એક દિવ્યાંગ રાઠોડ સુજલ રામભાઈને દાતા હસુભાઈ બી પાડલિયા તરફથી શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને પ્રમુખ તેમજ ચિત્રા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા વડીલોના હસ્તે તેમના વાલી સોનલબેનને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...