મોરબી: મોરબીના નાની વાવડી ગામે દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ દ્વારા તા. ૧૪-૦૭-૨૦૨૪, રવિવાર થી તા.૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર સુધી દિવ્યાતી દિવ્ય તથા ભવ્યાતી ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભાવિક ભકતજનો દર્શનનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ત્રિદિવસીય દશામાંની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માંગલિક અવસરો પ્રથમ દિવસ તા. ૧૪-૦૭- ૨૦૨૪, રવિવાર દેહશુદિધ્ધ, ગણેશ પુજન તથા સ્થાપિત પુજન જલયાત્રા, અગ્નિ સ્થાપન (ગ્રહ હોમ), સાંચ પુજા આરતી કરવામાં આવશે જ્યારે દ્વિતીય દિવસે તા. તા.૧૫-૦૭- ૨૦૨૪,સોમવાર ગણેશ પુજન, સ્થાપિત દેવ પુજન, પ્રાસાદ વાસ્તુ, શાન્તિક પૌષ્ટિક હોમ, દેવ નગરયાત્રા, કુટીર યજ્ઞ, ધાન્યાધિવાસ અને તૃતીય દિવસ તા.૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર ગણેશ પુજન, સ્થાપિત દેવ પુજન, મૂર્તિસ્થપન વિધી, મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતી, મહાઆરતીનું આયોજન કરાયું છે.
યજ્ઞનો પ્રાંરભ આચાર્ય સિધ્ધાર્થભાઈ જોષી તા. ૧૬-૦૭-૨૦૨૪ને મંગળવાર ના રોજ સવારે ૮:૦૦ કલાકે કરાવશે અને તા.૧૬-૦૭-૨૦૨૪ ને મંગળવારે બપોરે ૩:૩૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતી કરવામાં આવશે.
તેમજ નાની વાવડી ગામે દશા માતાજીના નવરંગ માંડવનુ આયોજન તા. ૧૬-૦૭-૨૦૨૪ ને મંગળવારના કરેલ છે તેમજ મંગળવારે બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.તેની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે જેમાં, માતાજીના સામૈયા, થાંભલી રોપણ, થાંભલી વધાવી, ડાકલાની રમઝટ બોલશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે અને માતાજીના નવરંગ માંડવામાં રાવળદેવ ભવદિપભાઈ રાવળ ડાકલાની રમઝટ બોલાવશે. જેથી કરીને ધાર્મિક કાર્યક્રમ અને ડાકલાના કાર્યક્રમનો લાભ લેવા ભાવી ભક્તજનોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...