મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામમાં આવન- જાવન બંધ થઈ જાય છે જેની અનેક રજૂઆત નેશનલ હાઇવે ઓથોરિટીને કરી છે પણ તેને આ સમસ્યા દૂર કરવામાં જરાય રસ નથી દેખાતો.
આ સમસ્યાનો ઉકેલ ગ્રામજનો એ અનેક વખત તેમને બતાવ્યો પણ માત્ર હા વરસાદ બંધ થાય પછી કરી નાખી એવો જ લોલીપોપ કેટલા વર્ષોથી આપે છે. દર વર્ષે અનેક રાહદારી અહી મોટો ખાડો પડી જવાથી પડી જતાં હોય છે પણ તંત્ર કોઈનો જીવ લેવાની રાહ જોઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આ સમસ્યાની રજૂઆત વર્તમાન ધારાસભ્યને પણ કરી છે તેમને પણ તેમાં જરાય રસ નથી દાખવ્યો નથી. સવાલ એ છે કે આટલો મોટો ટોલ ટેકસ ઉઘરાવવા છતાં તે કેમ કામ નથી કરતું ? શું તેને માત્ર ટોલટેક્ષ ઉઘરાવવામાં જ રસ છે ? મકનસર અને બંધુનગરના ગ્રામજનોની વ્યથા એ છે કે હવે રજૂઆત કોને અને કેટલી વખત કરવી તેઓ પણ રજૂઆત કરી કરી કંટાળી ગયા છે પણ તંત્રનું પાણી નથી હલતું જો આ સમસ્યા નો અંત નહિ આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરી અને રસ્તા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ગણેશ ચતુર્થી ઉજવણી તહેવાર દરમિયાન કોઈ વીજ અકસ્માત ન બને તે માટે વિવિધ તકેદારી રાખવા નાગરિકોને સાવચેત કરવા મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ હળવા તથા ભારે દબાણની વીજલાઈનો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. શ્રી ગણેશ મૂર્તિના આવકાર અને વિસર્જન દરમિયાન, વીજ લાઈનની નીચેથી ખુબ જ વધુ ઊંચાઈ...
ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાનાઓનો ફોન આવેલ કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (ઉ.વ.૦૬) તથા સવીતા (ઉ.વ.-૦૭) વાળી બંને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા...
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ...