મોરબી: મોરબી – હળવદ હાઈવેમાં મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ તાત્કાલિક રીપેર કરવા મોરબી તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ મિલન સોરીયાએ માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ મિલન ડી. સોરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી જીલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે રોડ- રસ્તાઓની પરિસ્થિતિ ખુબ જ કથળી ગયેલ છે. ખાસ કરીને મોરબી-હળવદ હાઈવે ઉપર મહેન્દ્રનગર ચોકડી થી માંડલ ગામ સુધીના રોડની પરસ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગયેલ છે. જેના કારણે વાહન ચાલકો, મુસાફરો, દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તામાં ખાડા પડી જવાના કારણે વાહનોને ભારે નુકશાન થાય છે તેમજ ટ્રાફીકની સમસ્યામાં પણ વધારો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત થવોનો પણ ભય છે. જેથી તાત્કાલીક મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરી આપવા માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...
હળવદ તાલુકાના ચરાડવા ગામે થયેલ હત્યાના બનાવવમાં આરોપીને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી ચરાડવા સરકારી દવાખાને રાખેલ હોય જે મૃત્યુ શંકાસ્પદ થયેલ હોવાનું જણાતા હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા " મનોજભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ. ૨૫) ને...