મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.
આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. તો આ ઇનામો જીતવા થઈ જાવ તૈયાર.
માળીયા મીંયાણાના વાડા વિસ્તારમાંથી આરોપી જાકીર અકબર માલાણીની દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશીદારૂ લીટર ૫૭૦ કિં.રૂ.૧,૧૪,૦૦૦/- તથા આથો લીટર ૩૦૦૦ કિં.રૂ. ૭૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૮૯,૦૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ માળીયા મીંયાણા વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને...
સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ - ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલષચંદ્ર...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ, નીતિઓ અને અધિકારો અંગે માહિતગાર કરવો તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન...