હળવદ નગરપાલિકાના સેવા સેતુમાં વહીવટી તંત્ર દ્વારા અરજદારોની ૧૦૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો
મોરબીમાં જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને હળવદ ખાતે હળવદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ વોર્ડના નાગરિકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ગત ૨૧ સપ્ટેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તથા હળવદ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હળવદ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા ૧૩ જેટલા સ્ટોલ અરજદારોની સેવા માટે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હળવદ શહેરી વિસ્તારના નાગરિકો દ્વારા વિવિધ સેવાઓ માટે અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ ૧૦૮૫ અરજીઓનો વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ સિહોરા તથા નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા સહિત પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે નીકળતી પાણીની કેનાલમાં ડૂબી જતાં સગીર અને યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતીલાલ મીઠાભાઈ કણઝારીયાની વાડીએ રહેતા હીતેષભાઈ ભાવેશભાઈ રાઠવા (ઉ.વ.૧૫) તથા અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા ઉ.વ.૨૩વાળા ચંદ્રગઢ ગામે હોય ત્યારે ચંદ્રગઢ ગામે નીકળતી...
ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર નજીક માખણનાં કારખના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.૨૮) એ આરોપી બાઈક...