મોરબી: IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં ધોરણ -૧ થી ૫ ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે નક્ષત્ર હોસ્પીટલ ના ડો. મયુર ગવાલાણી, ચિરાયુ હોસ્પીટલના ડો. શરદ રૈયાણી, દાંતના ડોક્ટર તરીકે ક્રિષ્ના હોસ્પીટલના ડો. મનોજ કૈલા, રાંકજા ડેન્ટલ ક્લિનિકના ડો. આશિષ રાંકજા, ચામડીના ડોક્ટર તરીકે ડો. સેજલ ભાડજા (કાવર), એથેના સ્કિન ક્લિનિકના ડો. યશરાજસિંહ ઝાલાએ સેવા આપી હતી.
આ હેલ્થ ચેક અપમાં લગભગ 150 બાળકોએ સેવાનો લાભ લીધો હતો.
તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ‘ તરુણાવસ્થા તથા તેને લગતી સમસ્યાઓ ‘ ઉપર ડો. રમેશ બોડા, બાળ રોગ નિષ્ણાંત, સાગર હોસ્પીટલ, દ્વારા વિશેષ લેક્ચર લેવામાં આવ્યું હતું. તેમજ સોશ્યલ મીડિયા અને તેની આડ અસરો પર ડો. ઉર્વી રૈયાણી, બાળ રોગ નિષ્ણાંત, ચિરાયુ હોસ્પીટલ, તથા છોકરીઓમાં માસિક ચક્રની સમજણ તથા તે સમયે લેવાની કાળજી પર, ડો. મિરલ આદ્રોજા, સ્ત્રી રોગ નિષ્ણાંત, સદભાવના હોસ્પીટલ, દ્વારા વિવિધ વિડિયો તથા પ્રેસેંટેશન દ્વારા સમજણ આપેલ. જેમાં આશરે 100 બાળકો એ લાભ લીધેલ.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો તથા IMA Morbiના સેક્રેટરી ડો.હીનાબેન મોરી તથા પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢિયાના સહયોગથી કરવામાં આવેલ હતું. ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતાં રહે તો બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...