વરિયા પ્રજાપતિ સમાજના ખેલૈયાઓ માટે રાસગરબા સ્પર્ધાનું પણ આયોજન
મોરબી : ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરિયા પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે તેમજ સમસ્ત વરિયા પ્રજાપતિ પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણી શકે તે માટે શરદ પૂનમની રાત્રિના ભવ્ય “શરદોત્સવ 2024″નું જાણીતી લાઈવ ઓરકેસ્ટ્રા સાથે આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન શરદ પૂનમની રાત્રિના તારીખ 16 ઓક્ટોમ્બર 2024, બુધવારે રાત્રે 9.30 વાગ્યે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. આ “શરદોત્સવ 2024″માં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
તેમજ “શરદોત્સવ 2024” ખેલૈયા માટે બેસ્ટ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષની નીચે અને 15 વર્ષથી ઉપર બે કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવા આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પેહરીને આવવું ફરજિયાત છે. અને સ્થળ પર જ સ્પર્ધકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ જ્ઞાતિજનો માટે દૂધ પૌવાની પ્રસાદી રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ફકત પ્રજાપતિ સમાજ માટે જ કરવામાં આવ્યું છે.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...