વરિયા પ્રજાપતિ સમાજના ખેલૈયાઓ માટે રાસગરબા સ્પર્ધાનું પણ આયોજન
મોરબી : ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરિયા પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે તેમજ સમસ્ત વરિયા પ્રજાપતિ પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણી શકે તે માટે શરદ પૂનમની રાત્રિના ભવ્ય “શરદોત્સવ 2024″નું જાણીતી લાઈવ ઓરકેસ્ટ્રા સાથે આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન શરદ પૂનમની રાત્રિના તારીખ 16 ઓક્ટોમ્બર 2024, બુધવારે રાત્રે 9.30 વાગ્યે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. આ “શરદોત્સવ 2024″માં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
તેમજ “શરદોત્સવ 2024” ખેલૈયા માટે બેસ્ટ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષની નીચે અને 15 વર્ષથી ઉપર બે કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવા આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પેહરીને આવવું ફરજિયાત છે. અને સ્થળ પર જ સ્પર્ધકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ જ્ઞાતિજનો માટે દૂધ પૌવાની પ્રસાદી રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ફકત પ્રજાપતિ સમાજ માટે જ કરવામાં આવ્યું છે.
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...