મોરબીની શ્રી સરસ્વતી શીશુ મંદિર શાળામાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧થી૧૦ ના વાલીઓએ બંને પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.
આ પ્રતિયોગિતામાં ૩૫ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરા એ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
સુનિલભાઈ પરમારએ કાર્યક્રમને અનુરૂપ સમાપન સત્રમાં પ્રસ્તાવના આપી વાનગીની જે મીઠાશ હોય છે તેવી મીઠાશ આપણે પણ આપણામાં જીવનમાં લાવવી જોઈએ. વાનગીમાંથી આપણને આ એક ખુબ સરસ શીખવા મળે છે અને દિવાળી પર્વ વિશે સરસ વાતો કરી ત્યારબાદ બંને પ્રતિયોગિતાના પ્રતિભાઓમાંથી જે વાલી કે પ્રતિભાગી ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરેલ હતી. તેમને નિર્ણાયકો, અતિથિ વિશેષ ને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા તેમજ નિર્ણાયક ટીમને પણ વિદ્યાલયના આચાર્યના હસ્તે સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા IMA (Indian Medical Association) મોરબી દ્વારા “શ્રી બુનિયાદી કન્યા શાળા” તથા “તાલુકા શાળા નંઃ૧” મોરબી ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બંને શાળાઓમાંથી કુલ...