યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે
મોરબી : જે સાહસ કરી શકે, નવું સર્જન કરી શકે, જેના લક્ષ્યો ઊંચા હોય અને જે નેતૃત્વના ગુણોથી સભર હોય તે એટલે યુવાન…સમાજના સર્વાંગી વિકાસમાં યુવાનોની ભૂમિકાના મહત્વ ઉપર ચિંતન મનન કરવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રથમવાર વરિયા પ્રજાપતિ યુવા સંમેલનનું આગામી રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સામાકાંઠે જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે તા.10 નવેમ્બરને રવિવારના રોજ સાંજે 4 કલાકે સમાજના યુવાનોનું યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે જાણીતા એવા જય વસાવડા વક્તવ્ય આપવાના છે. આ વેળાએ યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કાર્યક્રમમાં સમાજની ડિજિટલ બિઝનેસ ડિરેકટરી માટે કાર્યક્રમના સ્થળેથી ડેટા કલેક્ટ કરવામાં આવશે. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મિટ્ટી કુલના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિ તેમજ મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.
આ યુવા સંમેલનને લઈને જાણીતા વક્તા જય વસાવડાએ ખાસ ફ્રાન્સથી વિડીયો સંદેશ આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ ફ્રાન્સથી સીધા આ યુવા સંમેલનમાં આવવાના છે. જેમાં તેઓ કરિયર, જ્ઞાન, લાઈફ વિશે વાત કરવાના છે. તેઓએ ઉમેર્યું કે જો હું પુસ્તકોની આંગળી પકડીને, શિક્ષણની તાલીમ લઈને, મા બાપ પાસેથી કેળવણી લઇને અહીં સુધી પહોંચી ગયો તો તમે કેમ ન પહોંચો ? તમે કેમ પહોંચો તેના વિશે જ વાત કરવાની છે. સક્સેસ કેવી રીતે મળે ? કરિયર કેવી રીતે બને ? આવતીકાલના જીવનમાં શિક્ષણનો શુ રોલ હશે ? આ બધી વાતો યુવા સંમેલનમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા અને કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વરિયા પ્રજાપતિ સમાજના તમામ યુવાનો અને યુવતિઓ યુવા સંમેલનમાં હોંશભેર ભાગ લ્યે તે માટે સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...