ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર ઇજનેર સેવા (સિવિલ) વર્ગ-૧,અનેર ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન અને કોચિંગ માટે L.EL. કોલેજ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટુંક સમયમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લાના વતની હોઇ અને આ પ્રકારનું માર્ગદર્શન અને કોચિંગ મેળવવા ઇચ્છતા હોઇ તેવા ઉમેદવારો તથા વિધાર્થીઓએ આ પ્રેસનોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૦ માં રૂમ નં.૨૪૬, સિંચાઇ શાખા,બીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમૂનો જિલ્લા પંચાયત કચેરી મોરબીની વેબસાઇટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...