શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી સ્વ. સાગર ચંદુભાઈ ભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રવિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તારીખ ૨૨ ડીસેમ્બરના રવિવારના રોજ સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી મોરબીના એસપી રોડ પર ધ વન એપ સોસાયટી સુંદર હાઇટ ૬૦૨ માં મહારક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
લીલાપર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાયદાના નિષ્ણાંતો દ્વારા મહિલાઓને POSH Act 2013 (Prevention of Sexual Harassment at Workplace Act) ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. POSH કાયદો કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, સરવડ ખાતે જાતીય અને પ્રજનન આરોગ્ય તથા રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કિશોર તથા કિશોરીઓને જાતીય તથા પ્રજનન આરોગ્ય સંબંધિત મૂળભૂત માહિતી, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, માનસિક સ્વાસ્થ્ય...