નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી 4 માળ ધરાવતી 18 ક્લાસ AC projector, CC TV camera, floor wise washroom, wifi અને 4000 ફૂટનો પ્લે એરિઆ ધરાવતી બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો.
જેમાં કે.કે.પરમાર ભાજપ અગ્રણી નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન દેવાભાઈ અવાડિયા, નિર્મલ જારીયા પ્રમુખ બક્ષીપંચ મોરચો મોરબી જિલ્લો, જતીન ભાઈ ફૂલતરી પૂર્વ પ્રમુખ આટી સેલ, ચુની ભાઈ પરમાર પૂર્વ ચેરમેન, અવચર ભાઈ જાદવ પૂર્વ કાઉન્સેલર, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ અનેક વાલીઓની ઉપસ્થિતમાં નાના નાના ભુલકાઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જેમાં ગ્રામ્ય જીવન અને શહેરી જીવનની સંસ્કૃતિ આજની ભાગદોડ વાળી માનવ જિંદગીને ઉજાગર કરતો ડ્રાંમાં તેમજ મહા મૃત્યુંજય જાપ, Shape Dance હનુમાન ચાલીસા સમજાવતો હનુમાન ડાંસ, સાઉથ ડાંસ, ગુજરાતી કવિતા,પુસ્તક વિશે ડ્રામા, હિન્દી બોલિવૂડ ડાન્સ, મધર ડાન્સ, સન ડાન્સ,કપલ ડાન્સ, વગેરે કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મન મોહી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમમાં બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરનાર બાળકોને પ્રથમ,દ્વિતિય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્કૂલના તમામ સ્ટાફ તેમજ રાજેશભાઈ ભીમાણી સંચાલક તેમજ નિમિષાબેન ભીમાણી પૂર્વ કોર્પોરેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી....
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...