ભારતમાં INDIAN AIR FORCE, INDIAN NAVY, INDIAN ARMY એ ભારતીય સેનાના મુખ્ય અંગ છે. જે ભારતની ચારે બાજુ થી સુરક્ષા આપે છે. ભારતીય સેનામાં ગુજરાતીઓનું પ્રમાણ ઓછું છે અને એમાં પણ વાયુ સેનામાં ગુજરાતીઓ ઘણા ઓછા છે. ગુજરાત એક સરહદી રાજ્ય હોય સીમા સુરક્ષા અતિ અગત્યની બાબત છે. આથી ગુજરાત ના યુવાનો INDIAN AIR FORCE થી માહિતગાર થાય, જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી એક સુંદર કાર્યક્રમ નું આયોજન મોરબીની નવયુગ કોલેજમાં કરવામાં આવ્યું હતું.
ભારતીય INDIAN AIR FORCE દિલ્લી તથા જામનગર બેઝ કેમ્પના સહયોગથી યોજાયો. આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર દિપક ગર્ગ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી તથા વિદ્યાર્થીઓને ઇંડિયન એર ફોર્સમાં કેવી રીતે જોડાવું? કેટલો અભ્યાસ જરૂરી છે ? ફિઝિકલ ફિટનેશ, જોડાવા માટેની વિવિધ પરીક્ષાઓ, મળતી સવલતો જેવી બાબતોથી માહિતગાર કર્યા. સાથે વિંગ કમાન્ડર એન.સી. રામ, વિંગ કમાન્ડર દિપક ગર્ગ, ફ્લાઇટ લેફટનન્ટ ગજેન્દ્રસિંહ, ફ્લાઇટ લેફટનન્ટ અર્પણા કન્વર જોડાયા હતા.
સાથે IPEV ( ઇન્ડકશન પબ્લિસિટી એગ્ઝિબિશન વ્હેકલ) / મોબાઇલ એગ્ઝિબિશન બસ દ્વારા લેટેસ્ટ એરક્રાફ્ટ મોડેલ, ફાઇટ સિમ્યુલેટર, G-suits, કેરિયર માર્ગદર્શન, તેમજ INDIAN AIR FORCE ના ફાઇટર કોકપીઠનો અનુભવ વિદ્યાર્થીઓને કરાવેલ હતો.
આ કાર્યક્રમ નવયુગ કોલેજમાં કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ભારતીય વાયુ સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...