મોરબી: નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની બંને બ્રાન્ચના એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું.
આ ઉપરાંત સ્કૂલના બાળકોના મમ્મી અને પપ્પા એ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કહ્યું હતું અને આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ બીનાબેન, વિભાબેન અને કોઓર્ડીનેટર રશ્મિબેન અને હેતલબેનના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રમુખ કાંજીયા, રંજનબેન કાંજીયા શિક્ષણ વિભાગના વડાલિયા ગરચર, જીતુભાઇ એરવાડીયા, જીલેશભાઈ કાલરીયા, શાળા સંચાલક મંડળમાંથી નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, યોગેશભાઈ ઘેટીયાએ ઉપસ્થિત રહી સ્ટાફ અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું...
મોરબી અત્રેના સરસ્વતી શિશુ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી ના જિલ્લા, તાલુકા, મંડલના કાર્યકર્તાઓની હાલમાં ચાલતા સદસ્યતા અભિયાન અંગે તેમજ સંગઠનનો વિસ્તાર કરવા બાબતે સંગઠનના કાર્યકર્તાઓના ઘડતર માટેની બેઠક યોજાઈ.
જેમાં સંગઠન મંત્રથી બેઠકની શરૂઆત કરવામાં આવી, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ...
મોરબી જીલ્લા શિક્ષક શરાફી મંડળીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી મોરબી શિક્ષક શરાફી મંડળીમાં સભાસદોને અન્યાય થતો હોય અને મોટાભાગના સભાસદોને મંડળીના મેનેજમેન્ટ થી અસંતોષ થતો હોય માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.જેમાં નીચે મુજબના મુદ્દાઓનું ઉમેદવારો દ્વારા સંતોષકારક રીતે નિરાકરણ...