પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સહિતના અનેક સામાજીક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.ત્યારે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમ “જાગો ગ્રાહક જાગો” માં મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીને તેમના સર્વાંગી સમાજ ઉપયોગો અને રચનાત્મક કાર્યો, સામાજીક સેવાઓ બદલ સિલ્ડ આપી સન્માનિત કરવા સાથે તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા.
મુસ્કાન સંસ્થાના સભ્યોએ પણ લાલજીભાઈ મહેતા સહીત અગ્રણીયોનો આભાર વ્યક્ત કરવા સાથે પોતાની સંસ્થાને મળેલ માન સન્માન સંસ્થાના સભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેવાનું જણાવ્યુ હતુ.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવાકે રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ,ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ...
જો તમને આરટીઓ ચલણ બાબતે APK ફાઈલોનો મેસજ આવે તો ખોલતા પહેલાં ચેતી જજો તમારૂં ખાતુ થઈ શકે ખાલી આવો જ કિસ્સો મોરબીમા પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા યુવકના ફોનમાં આરટીઓ ચલણ APK ફાઈલનો મેસેજ આવતા ઓપન કરતા વેપારીના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર...
મોરબી: ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ભરપૂર એવા ‘શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર શ્રી રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુ બાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા)ના શ્રીમુખે સંભળાવવામાં આવશે. આ શિવ કથા તા.4 જાન્યુઆરીને રવિવારથી 12 જાન્યુઆરી સોમવાર સુધી યોજાશે....