હળવદ સરા રોડ પર આવેલ વાડીની ઓરડીમાં રહેલ બોર્ડમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ શનીભાઇ ભગવાનજીભાઇ ધા.પરમાર (ઉ.વ.૨૫) રહે.ગોરી દરવાજા વાલાજી મંદિર પાસે હળવદવાળાને હળવદ સરા રોડ પર રઘુનંદન સોસાયટી પાછળ ભગવાનજીભાઈ ભીખાભાઈ ધા. પરમારની વાડીમાં આવેલ ઓરડીમાં રહેલ બોર્ડમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
