ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ સવારે ૭:૩૦ કલાકે ગુરૂ પુજન તથા સવારે ૦૯:૩૦ કલાકે સુંદરકાંડ અને સાંજે ૦૬:૩૦ કલાકે મહાઆરતી તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જોગ આશ્રમ નવનિર્માણ સમિતી -લજાઈ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જોગ આશ્રમ ખાતે પધારવા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજે તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પાવન પર્વની લોકો ઉત્સાહથી ઉજવણી કરતા હોય અનેક લોકો પતંગો ચગાવી અને દાન પુન કરી મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણા દ્વારા આ વર્ષે મકરસંક્રાંતિના પર્વેની અનોખી ઉજવણી કરી હતી જેમાં પૂર્વ સરપંચ દ્વારા પોતાની ફેમિલી સાથે રહી...
ટંકારા તાલુકાના છતર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી મળેલ કે, છતર જી.આઇ.ડી.સી.માં આવેલ જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરનું ગોડાઉન...
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ભડીયાદ ગામની સીમમાં પ્લેટીના સીરામીક સામે રેલ્વેના પાટા પર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.