મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ને પારિવારિક સ્નેહમિલન તારીખ ૩-૮-૨૦૨૫ ને રવિવારે સવારે ૯ વાગ્યે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવર સામે યોજાશે.
આ સમારોહમાં કેજી થી કોલેજ સુધીના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે સાથે સમાજના કાર્યોમાં હર હંમેશ સહયોગ આપતા દાતાને સમાજના ગૌરવ સમાન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે આ સમારોહમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેશગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજસગીરી સહિત યુવક મંડળ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
