મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે:૦૪ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારના રોજ જન્માષ્ટમીના દિવસે ચકમપર ગામ ખાતે “મટકી ફોડ” તથા “ભવ્ય રથયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. સવારે: ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે રામજી મંદિર ચોક થી રથયાત્રાનું પ્રારંભ તથા મટકી ફોડ કાર્યક્રમ યોજવામા આવશે અને સાંજે:૦૪ કલાકે તથા રાત્રીના:૦૯ કલાકે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત ચકમપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...