મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૪/૦૮/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરના ૦૧ વાગ્યા સુધી શ્રી ખોખરા હનુમાન હરીધામ બેલા, ભરતનગર રોડ મોરબી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મફત આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં એમ.ડી.ફીઝીશ્યન, બાળરોગ નિષ્ણાંત, પેટના રોગ ના નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના રોગના નિષ્ણાંત તેમજ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડોકટર સેવા આપશે.
જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ, ડાયાબીટીશ ટેસ્ટ મફત કરી આપવામાં આવશે જુના તમામ રીપોર્ટ તથા એક્સ-રે સાથે લાવવાના રહેશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી દ્વારા મોરબી જિલ્લાના વધુમાં વધુ લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.
12 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધા
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા આનંદ પાર્ટી પ્લોટ અને (શક્તિ પાર્ટી પ્લોટ સજ્જ છે. 12 વિઘા જેટલા સૌથી વિશાળ વિસ્તારમાં આવેલા આ બન્ને...
મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત નુ વિસ્તરણ થશે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં થશે અને વિસ્તરણ ની પ્રક્રિયા પુર્ણ કરી અને નવી માહિતી જાહેર કરવામાં માટે આમ આદમી પાર્ટી ના જીલ્લા ટીમ દ્વારા...
મોરબી જિલ્લાના પંચાસર વિસ્તારના નાગરિકોની પાણીના અભાવ અંગેની સતત ફરીયાદો તથા પાછળના વિસ્તારમાં વસતા લોકો સુધી પાણી પહોંચવામાં આવતા વિલંબને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા નવી અને ટકાઉ પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવી છે જે કામની રકમ રૂ. ૧૫.૫૭ કરોડ ની મંજુરી મળેલ છે.
આ યોજના હેઠળ પંચાસર...