દેશ વિદેશમાં આસ્થાનું પ્રતીક અને કચ્છ સ્થિત માં આશાપુરા ના ધામ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવા , મેડિકલ ની સુવિધા મળી રહે તે માટે ટંકારાના મેઘપર ઝાલા ગામના શિવ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પો શુભારંભ તરીખ ૧૨/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ કરવામાં આવશે જે કેમ્પ કષ્ટભંજન હનુમાનજી મંદિર શિવમ્ કોમ્પલેક્ષ બાજુમાં ટંકારા ઓવોર બ્રીજ નીચે રાખેલ છે. જેમાં પદયાત્રીકોને રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા મોં-97124 08412 તથા જામભા મોં- 97142 85097 -96620 08412 નો સંપર્ક કરવા શિવ શક્તિ ગ્રુપ દ્વારા યાદીમાં જણાવાયું છે.
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...