મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ 11 અગીયારસની ઉજવણી કરાઈ
ગીતાનો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે
મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગીતા જયંતી અને અગીયારસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. ગીતાનો સંદેશ આપી સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે તેવું જણાવવામાં આવ્યું હતું.