Friday, January 16, 2026

મોરબી મનપા દ્વારા પાણીની DI પાઈપલાઈનનું કામ પ્રગતિ હેઠળ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે હેતુસર શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પ્રગતિ હઠળ છે. આ કામગીરી માટે કુલ અંદાજીત ખર્ચ રૂ. ૪૬.૩૮ (લાખ) ની ગ્રાન્ટ સરકારમાંથી મંજુર થઈને મળી આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫૦ મી.મી. તથા ૨૫૦ મી.મી. વ્યાસની ડી.આઈ. (D.I.) પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ યોજનામાં હાલની જૂની પાણીની પાઇપ લાઇનને બદલે નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવનાર છે

તેમજ આ યોજનામાં વાલ્વનો પણ સમાવેશ કરેલ છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહશે. આ યોજના પૂર્ણ થયે આ વિસ્તારના છેવાડા ના ઘરો સુધી પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ૮૨૫ મીટરની પાઈપલાઈન નાખવાની મંજુરી મળેલ છે. જેમાંથી ૪૮૦ મીટર પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આ નવી DI પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ લગત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધામાં અનેક ગણો સુધારો થશે અને આ વિસ્તારમાં પુરતો પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર