સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી ફેક મેસેજ કરવાનાં કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે મોરબી માં ફેક આઇડી માંથી અભદ્ર ભાષામાં બેફામ વાણી વિલાસ કરતા કિસ્સા માં પોલીસ ફરીયાદ થયા નું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ મોરબીમાં હિન્દુવાદી સંગઠનના અગ્રણીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફેક આઈડી બનાવી અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે અગ્રણીની પોલીસ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીની વેરાઈ શેરીના રહેવાસી અને ગૌરક્ષક જીલ્લા સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ઇન્સટાગ્રામ આઈડી પર દીપિકા જોશી નામના ફેક આઈડી પરથી મેસેજ કરવામાં આવ્યા હતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વાણી વિલાસ કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઇન્સટાગ્રામ આઈડી બનાવનાર અને મદદ કરનાર વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ ડીવીઝન પી આઈ જે એમ આલ ચલાવી રહ્યા છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...