વિજય તિરંગા યાત્રા બાઈક રેલી વૈજનાથ મહાદેવ થી સરા ચોકડી થી લઇ ને મુખ્ય બજાર ફરી
ટીકર સર્કલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા,આદમી પાર્ટીના હળવદ તાલુકા અને શહેર ના કાયૅકરો બાઈક રેલીમાં જોડાયા હતા,આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર વિજય તિરંગા યાત્રા યોજવા મા આવી હતી.પંજાબ ની અંદર આમ આદમી પાર્ટી ની જંગી બહુમતી થી વિજય બની, એક ઈમાનદાર સરકાર બની,એક આમ આદમી ની સરકાર બની, તેની ખુશી મા આજે સમગ્ર ગુજરાત મા વિજય તિરંગા યાત્રા કરવા આવે છે,ત્યારે આજે હળવદ મા પણ ખુબ ઉત્સાહથી વિજય તિરંગા યાત્રા આમ આદમી પાર્ટી હળવદ દ્વારા કાઢવા મા આવી હતી.
હળવદ શહેર અને ગ્રામ્ય માથી કાર્યકર્તાઓ હાજર રહિયા હતા.આ તકે મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયા, જિલ્લા મહામંત્રી જશવંતભાઈ કાગથરા, ભવદીપસિંહ,ચેતનભાઈ,જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ ,હાજર રહિયા હતા,
હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ, હળવદ તાલુકા મહામંત્રીવિપુલભાઈ,શંકરભાઈ ,દેવરાજભાઈ,ખુમાનસિંહ,લક્ષ્મણભાઈ ,રમેશભાઈ,બાબુભાઈ,સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમ ને સફળ બનાવવા ની જહેમત ઉઠાવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...