મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સી પાસે મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું
મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડેન્સી પાસે આવેલા રાધેશ્યામ કોમ્પલેક્ષ સામે બાઈક લઈને જઈ રહેલા મૂળ ટંકારાના બંગાવડી ગામના અને હાલમાં હરીઓમ પાર્ક સોસાયટી ઘુટુ રહેતા દેવેન પંકજભાઇ નિમાવત,ઉ.22નું બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી ઉધોગની નગરી તરીકે સુખ્યાત છે. મોરબીને કલા-સાહિત્યકારથી સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. તેઓએ ૩૫ વરસ અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે. હાલ નિવૃતિમાં પ્રવૃત્તના ભાગરૂપે લેખ અને ગ્રંથ લખે છે.
રવિ-ભાણ સંપ્રદાયના હસ્તપ્રતોમાં રહેલ સંતકવિ જીવા ભગતના સંતસાહિત્ય પર...