મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા નોવેલ કોરોના વાઇરસ (COVID-૧૯)નું સંક્રમણ અટકાવવા તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.
હાઈકમાન્ડે સામે ચાલી ઇચ્છુક ઉમેવારોને બોલાવાયાચક્રવાત દૈનિકરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સામે મજબૂત રીતે લડી શકે એવા સક્ષમ ઉમેદવારની શોધમાં કોંગ્રેસ આજથી જ કમર કસી રહી છે અને આ માટે આજથી બે દિવસ પ્રદેશ આગેવાન જેનીબેન ઠુંમર અને માનસિંગ...
વર્તમાન બોડીની ટર્મ 11 માર્ચે પૂરી : હવે ચૂંટણી જાહેર થવાની ગણતરી મુકાઇ ગઇ : વિવાદો અને વિકાસ કામો વચ્ચે હરીફાઇ સાથે ટર્મ પૂરી થવામાંચક્રવાત દૈનિક રાજકોટમહાપાલિકાની સ્ટે.કમીટીની વર્તમાન બોડીની અંતિમ મીટીંગ આજે મળી હતી. આ બેઠક પૂર્વે ભાજપ પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓ અને સભ્યોની હાજરીમાં લાંબી ભાજપ સંકલનની...