મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતરમાં રહેલાં ઢગલો કરેલા એરંડા માં આગ લગાડવાનો બનાવ બનતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકના પંચાસર ગામમાં જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીમાં એક ઓરડીમાં રહેતાં હીરાભાઇ ભનાભાઈ પરમારે વિઘોટી માં રાખેલ 60 વિઘા ખેતરમાં વાવેલ 900 મણ એરેંડાના પાક તૈયાર થઇ ગયેલ હોવાથી તેની કાપની કરી ઢગલા ખેતરમાં રાખેલા હતા.દરમિયાન રવિવારે બપોરના સમયે આરોપી ભવાનસિહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભાઝાલા નામના શખ્સોએ અંગત અદાવત રાખી ખેતરમાં તૈયાર પાક રૂ 1.26 લાખના સળગાવી નાખ્યો હતો અને હીરાભાઈ પરમારને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભા ઝાલા વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અંગે પીએસઆઈ વીકે કોથીયા તપાસ ચલાવી રહ્યા છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...