બગથળા : કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરું.આ કેમ્પમાં રાહતદરે સેવાઓ આપવામાં આવી હતી.કેમ્પનો 250 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન બગથળા કુમાર શાળામાં ગત તા.3ના રોજ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બગથળા ગામના મુળ વતની ડૉ.જીગ્નેશ મેવા કેન્સર સર્જન,ડૉ.વિશાલ મેવા (ફિઝિશિયન આઇ સી યુ નિષ્ણાત),ન્યુરોસર્જન ડો.નિધિ કુમાર પટેલ,ઓર્થોપેડિક ડો.એન.બી.પટેલ,લેપ્રોસ્કોપીક સર્જન ડો.એસ.એન.પટેલ,આંખના નિષ્ણાંત ડો. હાર્દિક પટેલ.ઈ એન ટી સર્જન ડો.અલ્પેશ પટેલ ,ડો.ડેનિસ આરદેશના,બાળકોના નિષ્ણાત ડો.શ્રદ્ધા હાલપરા,ડો. સતીશ સાણજા ડો. ધર્મેશ ઝાલાવાડીયા,ફિજીઓથેરાપિસ્ટ ડો. પાયલ સરધારા ,ડો.ઉર્વશી કાનાણીએ માનદ સેવા આપી હતી.આ કેમ્પમાં 250 દર્દીઓએ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો હતો.બગથળા નકલંગ મંદિરના મહંત દામજી ભગતએ દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું.બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હિરેન વાસદડિયા અને જિલ્લા સદસ્ય સતીશ મેરજા અને આચાર્ય દિનકરભાઇ મેવાએ આ કેમ્પની કામગીરી દરમ્યાન વ્યવસ્થામાં મદદરૂપ થયેલ હતા.યુનાઇટેડ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દરેક પ્રકારની ઉચ્ચ કોટિની આરોગ્ય સેવાઓ રાહત ભાવે આપે છે.તેમજ સમાજની સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલ હંમેશ સમર્પિત રહે છે.
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...