કપાસ નો નીચો ભાવ ₹1900 રહ્યો
તો ઉંચો ભાવ ₹2500ને પાર થયો
મોરબી નું માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગને કારણે પાંચ દીવસ બંધ રહ્યા બાદ ફરીથી ખુલતા રાબેતા મુજબ ધમધમવા લાગતા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.
મોરબીનું માર્કેટીંગ યાર્ડ આજથી ખુલતા જ ઘઉં, કપાસ, ચણાની ચિક્કાર આવક થઈ હતી. જેમાં સૌથી વધુ ઘઉંની 1663 કવીન્ટલ આવક થઈ હતી.ત્યારબાદ બીજા ક્રમે કપાસની પણ 846 કવીન્ટલ આવક થઈ હતી. આ ઉપરાંત ચણા 588, એરંડા 310, જીરું 265, રાયડો 217, રાય 209, મેથી 95, તુવેર 83, મગફળી 35, ધાણા 32 કીવન્ટલ સહિતની જણસીઓની સારી એવી આવક થઈ હતી. જો કે, આજની હરરાજીમાં કપાસના ભાવ 2500ને પાર થયા હતા અને ઘઉં પણ 540 રૂપિયાની સપાટી વટાવી ગયા જતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આજે માર્કેટીંગ યાર્ડમાં હરરાજી દરમિયાન કપાસનો મણ દીઠ નિચો ભાવ રૂ.1900 અને ઉંચો ભાવ રૂ.2510 ને આંબી ગયો હતો. જ્યારે ઘઉંનો મણ દીઠ નિચો ભાવ રૂ.430 અને ઉંચો ભાવ 540 રહ્યો હતો. આ ઉપરાંત ચણાનો ભાવ પણ રૂ.777 થી 1311ની આસપાસ રહ્યો હતો. તેમજ જીરુંનો ભાવ પણ રૂ.2500 થી રૂ.4140 મળ્યો હતો. આમ આજે આવક વધુની સાથે ભાવ પણ સારા મળ્યા હોવાનું સતાવાર રીતે જણાવાયું છે.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...